Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા ફવાદ ચૌધરીએ કહ્યું છે કે જો ઈમરાન સેના સાથે ડીલ કરશે તો તેઓ વડાપ્રધાન બનશે. એવામાં PM શાહબાજને પોતાના ઘરેથી નહીં પરંતુ તે લોકોથી જોખમ છે, જેઓ તેમને સત્તામાં પાછા લાવ્યા છે.


ફવાદનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હાલમાં જ ઈમરાન ખાન અને સેના વચ્ચેની કથિત વાતચીત ચર્ચામાં છે. પીટીઆઈથી અલગ થવાની વાતને નકારી કાઢતા ફવાદ ચૌધરીએ કહ્યું કે તેમણે આશા વ્યક્ત કરી છે કે ઈમરાન પાકિસ્તાન આર્મી સાથે કોઈ સમજૂતી નહીં કરે.

વાસ્તવમાં, ઈમરાન અને સેના વચ્ચે સમજૂતીની વાતોએ વેગ પકડ્યો જ્યારે પીટીઆઈ નેતા શહરયાર આફ્રિદીએ જિયો ન્યૂઝને કહ્યું કે તેમની પાર્ટી ટૂંક સમયમાં આર્મી ચીફ અને આઈએસએસ ચીફ સાથે વાતચીત કરશે. 28 એપ્રિલે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈમરાન ખાને સેના સાથે સમજૂતી કરવાની લીલી ઝંડી આપી દીધી છે.

જોકે, 30 એપ્રિલે પીટીઆઈના અધ્યક્ષ બેરિસ્ટર ગૌહર ખાને આ દાવાઓને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે પાર્ટી હાલમાં સેના સાથે પાછલા બારણે કોઈ વાતચીત કરી રહી નથી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગૌહર ખાને કહ્યું હતું કે પીએમએલ-એન સુપ્રીમો નવાઝ શરીફને તમામ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ઈમરાન ખાન પર ખોટા કેસ લગાવવામાં આવ્યા છે.