Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુરુ પુનમ ના પાવન પર્વ એ ખેડા જિલ્લાની સુપ્રસિદ્ધ ગુરુગાદી એવા વડતાલમાં ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા. ગુરુ પૂનમ હોય ભગવાન ને કરોડો રૂપિયાની કિંમત ના હીરા જડિત મુકુટ અને સોનાના હાર થી શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5.15 વાગ્યે મંગળા આરતી થી જ પ્રભુ ના દર્શન કરવા ભક્તો વડતાલ આવી પહોંચ્યા હતા.


શ્રી હરીને કરોડોના સોનાના દાગીના અને હીરા જડીત મુકુટનો શણગાર કરાયો
જે રાતે 9 વાગ્યા ની શયન આરતી સુધી માં 2 લાખ ભક્તોએ શ્રી હરીકૃષ્ણ મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સવારે મંગળાઆરતી બાદ 7વાગે આચાર્ય પૂ. રાકેશપ્રસાદજી મહારાજે મંદિરમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજનું ગુરૂપૂજન કર્યું હતું. ત્યારબાદ વડતાલ મંદિરના સભામંડપમાં ભક્તો ધ્વારા કિર્તન આરાધના કરવામાં આવી હતી. સવારે 8.30 કલાકે આચાર્ય પૂ.રાકેશપ્રસાદજી મહારાજ સંપ્રદાયના વરિષ્ઠ સંતો સાથે સભામંડપમાં પધાર્યા હતા. જ્યાં સંપ્રદાયના વિદ્વાન કથાકાર નિત્યસ્વરૂપ સ્વામીનું આચાર્ય મહારાજે ફુલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું.