Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

Paytmના ફાઉન્ડર વિજય શેખર શર્માએ સોમવારે (26 ફેબ્રુઆરી) Paytm પેમેન્ટ્સ બેંક (PPBL)ના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ બેંકના પાર્ટ ટાઈમ નોન એક્ઝિક્યુટિવ ચેરમેન હતા. તેમના રાજીનામા બાદ બેંકના નવા બોર્ડની રચના કરવામાં આવી છે. Paytm પેમેન્ટ્સ બેંક ટૂંક સમયમાં નવા ચેરમેનની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરશે. Paytmએ તેની રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ જાણકારી આપી છે.


હવે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર બોર્ડના સભ્ય હશે. આ ઉપરાંત નિવૃત્ત IAS દેવેન્દ્રનાથ સારંગી, બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની સેખરી સિબ્બલ પણ Paytm પેમેન્ટ્સ બેંકના બોર્ડમાં જોડાશે.

બે ડિરેક્ટરો પહેલાં જ રાજીનામું આપી ચૂક્યા છે
Paytmના સ્થાપક વિજય રાજીનામું આપે તે પહેલાં, બે સ્વતંત્ર ડિરેક્ટર્સે Paytm પેમેન્ટ્સ બેન્કના બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું. બેંક ઓફ અમેરિકા અને પ્રાઇસ વોટરહાઉસ કૂપર્સ (PWC)ના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ શિંજિની કુમારે ડિસેમ્બરમાં રાજીનામું આપ્યું હતું. તે જ સમયે, SBIના ભૂતપૂર્વ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર મંજુ અગ્રવાલે પણ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું હતું.