Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (એનએમએચસી)ના વિકાસને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે. એનએમએચસી પ્રોજેક્ટના વિકાસમાં આશરે 22,000 રોજગારીનું સર્જન થવાની અપેક્ષા છે, જેમાં 15,000 પ્રત્યક્ષ અને 7,000 પરોક્ષ રોજગારીનો સમાવેશ થાય છે.


બે ફેઝમાં કોમ્પ્લેક્સનું કામ હાથ ધરાશે મંત્રીમંડળે સ્વૈચ્છિક સંસાધનો, યોગદાન મારફતે ભંડોળ ઊભું કરીને માસ્ટર પ્લાન અનુસાર પ્રથમ તબક્કા અને બીજા તબક્કા માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી હતી અને ભંડોળ ઊભું કર્યા પછી તેના અમલીકરણને મંજૂરી આપી છે.

ફેઝ 1બી હેઠળ લાઇટહાઉસ મ્યુઝિયમના નિર્માણ માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ લાઇટહાઉસીસ એન્ડ લાઇટશિપ્સ (ડીજીએલએલ) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. ભવિષ્યના તબક્કાઓના વિકાસ માટે એક અલગ સોસાયટીની સ્થાપના કરવામાં આવશે, જેનું સંચાલન બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રીની અધ્યક્ષતામાં ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે, જેનું સંચાલન સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ, 1860 હેઠળ કરવામાં આવશે. જેનો ઉદ્દેશ એનએમએસએચસીના અમલીકરણ, વિકાસ, વ્યવસ્થાપન અને સંચાલનનો છે.