Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બાલાસિનોરની તળાવ દરવાજા પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે. મંગળવારે અહી સાવરણી આપવા જેવી બાબતે આચાર્યએ શિક્ષકને ચપ્પલ વડે માર માર્યા બાબતે વિવાદ થયો હતો. જે અંગે બુધવારે બીટ નીરીક્ષક ઘટનાની તપાસ કરવા શાળા પર પહોંચ્યા હતા. જ્યા વિદ્યાર્થીઓ દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવા નારેબાજી કરી હતી.


બાલાસિનોરની તળાવ દરવાજા પ્રા.શાળામાં સાવરણી વિવાદ મામલે તાલુકા શિક્ષણ અધિકારી કચેરી તરફથી બીટ નીરીક્ષક હિતેદ્ર પટેલ તપાસ કરવા પહોંચ્યા હતા. જ્યા વાલીઓ અને વિદ્યાર્થીઓએ આચાર્ય વિરૂ્ધ્ધ આક્ષેપો કર્યા હતા. આચાર્ય એ.યુ.શેખ તાનાસાહી ચલાવતા હોવાની ફરિયાદ કરી જણાવ્યું હતુ કે અમારા બાળકો આ શાળામાં ભણવા આવે છે. આ આચાર્ય 12 વાગ્યાની રિશેષ પાડતા નથી. બાળકો પાસે વર્ગરૂમ અને ચોગાન સાફ કરાવે છે. આચાર્યએ વિદ્યાર્થીઓના સ્કૂલ ડ્રેસ માટે વિદ્યાર્થી દીઠ રૂ.650 ઉઘરાવ્યા છે.