Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુજરાત ભાજપ દ્વારા શનિવારથી ધર્મસ્થાનોમાં રાજ્યવ્યાપી મહાસફાઇ અભિયાન શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજકોટના બાલાજી મંદિરે સફાઇ કરી અભિયાનનો પ્રારંભ કરાવશે. શનિવારે આખો દિવસ મુખ્યમંત્રીના અનેકવિધ કાર્યક્રમો પણ યોજાશે.


ધર્મસ્થાનોમાં મહાસફાઇ અભિયાન અંગે માહિતી આપતા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીના સ્વચ્છતાના આદર્શ સંકલ્પોને આગળ વધારવા 2 ઓક્ટોબર 2014ના દિવસે સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત મિશનની દિલ્હી ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી, વડાપ્રધાન મોદીની પ્રેરણાથી ધર્મસ્થાનો પર મહાસફાઇ અભિયાન ગુજરાતમાં શરૂ કરવામાં આવી રહ્યુ છે.