Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના રાજકીય વારસાને લઇને તેલંગાણામાં ભાજપ અને કોંગ્રેસ રવિવારે આમનેસામને રહેશે. આના માટે બંને તરફથી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં પ્રથમ કાર્યસમિતિ (સીડબલ્યુસી)ની બેઠક હૈદરાબાદમાં થઇ રહી છે. બીજી બાજુ ભાજપ સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડમાં 17મી સપ્ટેમ્બરે તેલંગાણા દિવસના પ્રસંગે નિઝામના સંકજામાંથી રાજ્યને સ્વતંત્ર કરવાના અવસરની ઉજવણી કરશે. આને લઇને રેલી યોજાશે. ગૃહમંત્રી અમિત શાહ તેને સંબોધન કરશે.


હકીકતમાં કોંગ્રેસ દાયકા બાદ સરદાર પટેલને પોતાના વારસાના હિસ્સા તરીકે રજૂ કરવાની તૈયારીમાં છે. આ ક્રમમાં સીડબલ્યૂસીની બેઠકની સાથે કોંગ્રેસ હૈદરાબાદમાં રેલી યોજશે. આ રેલીને સોનિયા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સંબોધિત કરશે. સૂત્રોએ કહ્યું છે કે આ રેલીમાં કોંગ્રેસના નેતા દેશના પ્રથમ ગૃહમંત્રી અને નિઝામને પછડાટ આપીને અખંડ ભારતનું સપનું પૂર્ણ કરનાર સરદાર પટેલના રાજકીય વારસાને ભાજપના હાથમાંથી આંચકી લેવા માટે પ્રયાસ કરશે. કારણ કે ભાજપ સરદાર પટેલને સતત અપનાવે છે. કોંગ્રેસ તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે રણશિંગુ પણ આ દરમિયાન ફૂંકશે. સૂત્રોએ કહ્યું છે કે કોંગ્રેસ ત્યાં પોતાની 5 ગેરંટીની જાહેરાત પણ કરવા જઇ રહી છે.