ભારતીય સંસ્થાઓ લગભગ અડધા સાયબર હુમલાને રોકવામાં અસમર્થ છે કારણ કે 64% સાયબર સિક્યોરિટી ટીમ ગંભીર ઘટનાઓ સામે લડવા માટે સક્રિય વલણ અપનાવવામાં વ્યસ્ત છે. કોલંબિયા સ્થિત સાયબર સિક્યોરિટી કંપની ટેનેબલ અનુસાર 78% ભારતીય કંપનીઓ માને છે કે તેમની વધુ સંસાધનોની ઉપલબ્ધતા સાથે સાયબર હુમલાને રોકવા માટે સક્ષમ છે પરંતુ 71% સંસ્થાઓ કહે છે કે તેમની આઇટી ટીમ પેચિંગ કે ઉકેલ કરતા અપટાઇમને લઇને વધુ ચિંતિત છે.
આ અસમાનતા બે ટીમો વચ્ચે સંકલનના અભાવમાં પરિણમે છે. 43% સંસ્થાઓ આ પડકાર સામે ઝઝુમી રહી છે. ઑનલાઇન સ્ટડીમાં 825 આઇટી અને સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ્સને આવરી લેવામાં આવ્યા હતા, જેમાંથી 69 ભારતીય હતા. 81% ઉતરદાતાઓએ કહ્યું હતું કે તેમની સંસ્થાઓ SaaS એપ્સ અને સર્વિસ માટે થર્ડ પાર્ટી પ્રોગ્રામનો ઉપયોગ કરે છે. ટેનેબલ ઇન્ડિયાના મેનેજર કાર્તિક સહાણીએ જણાવ્યું હતું કે કંપની સાયબર એટેક સામે પ્રતિક્રિયા આપે તે પહેલા તો અડધી હાર થઇ ચૂકી હોય છે.