Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વ્યાસજીએ તેમનો મુદ્દો સમજાવવા માટે યુધિષ્ઠિરને વાર્તા સંભળાવવાનું શરૂ કર્યું. વ્યાસજીએ કહ્યું કે મુદ્ગલ નામના એક મહર્ષિ હતા, તેઓ ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ભિક્ષામાં તેમને લોટ, ખાવાની વસ્તુઓ અને હવનની સામગ્રી મળતી. તેઓ દાનમાં મળેલી વસ્તુઓ વડે ભોજન રાંધતા અને પૂજા કરતા હતાં.

કેટલીકવાર એવા દિવસો આવ્યા જ્યારે તે ભિક્ષા પણ મળતી ન હતી. આવું મોટે ભાગે અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે થતું. આ બંને તારીખે દુર્વાસા ઋષિ મુદ્ગલને મળવા આવતા હતા. દુર્વાસા મુનિને જમાડ્યા પછી, તેમના માટે કંઈ બચ્યું ન હતું, તેથી તેમને ભૂખ્યા રહેવું પડતું હતું.

એક દિવસ ફરી એવું જ થયું અને દુર્વાસા મુનિએ મુદ્ગલ ઋષિને પૂછ્યું કે તમે પોતે મને ભોજન આપીને ભૂખ્યા રહો છો, પણ મેં તમારા ચહેરા પર ક્યારેય ભૂખના ચિહ્નો જોયા નથી, તમને ભૂખ નથી લાગતી?

મુદ્ગલજીએ કહ્યું કે મારા માટે દાનનું સૌથી વધુ મહત્ત્વ છે. અન્નનું દાન શ્રેષ્ઠ છે, જ્યારે તમારી ભૂખ સંતોષાય છે, ત્યારે મને પણ સંતોષ થાય છે. હું દાન પુણ્ય માટે નથી કરતો, હું માત્ર બીજાની મદદ કરવા માગુ છું.

વ્યાસ જીનો ઉપદેશ
વ્યાસજીએ યુધિષ્ઠિરને આગળ સમજાવ્યું કે તપસ્યા પોતાના માટે કરવામાં આવે છે, પરંતુ દાન હંમેશા બીજાના કલ્યાણ માટે કરવામાં આવે છે. તેથી, અન્યની જરૂરિયાતો પૂરી કરવી એ દાન છે. તેથી તપ કરતાં દાન શ્રેષ્ઠ છે. જ્યારે આપણે દાન કરીએ છીએ ત્યારે કુદરત પણ તેના શુભ પરિણામો આપણને કોઈને કોઈ સ્વરૂપે પરત કરે છે.