Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ધર્મગ્રંથોમાં શરદ ઋતુમાં આવતી પૂનમ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ તિથિએ ચંદ્રના પ્રકાશમાં ઔષધીય ગુણ આવી જાય છે. એટલે આ દિવસે ચંદ્રની ચાંદનીમાં ખીર રાખવાથી અને તેના પછીના દિવસે તેને પ્રસાદ તરીકે ખાવાની પરંપરા છે. આ વખતે આ પર્વ 9 ઓક્ટોબર, રવિવારના રોજ રહેશે.


પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે પૂનમ તિથિ રવિવારે આખો દિવસ અને રાત રહેશે. એટલે સવારે તીર્થ સ્નાન અને દાન કરવું શુભ રહેશે. આખો દિવસ વ્રત અને પૂજા કર્યા પછી સાંજે ચંદ્રના દર્શન કરો. તે પછ અર્ઘ્ય આપો. બધા દેવી-દેવતાઓને ખીરનું નૈવેદ્ય ધરાવવું. પછી રાતે ચંદ્રના પ્રકાશમાં ખીર રાખો અને બીજા દિવસે સવારે ખાલી પેટ ખીરને પ્રસાદ તરીકે ખાવી.

શરદ પૂનમના દિવસે ઐરાવત ઉપર બેઠેલાં ઈન્દ્ર અને મહાલક્ષ્મીની પૂજા કરવાથી દરેક પ્રકારના સુખ અને સમૃદ્ધિ મળે છે. આ દિવસે વ્રત કે ઉપવાસ પણ કરવો જોઈએ અને કાંસના વાસણમાં ઘી રાખીને દાન કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે. આ પર્વમાં દીપદાન કરવાની પરંપરા પણ છે. રાતે ઘીનો દીવો પ્રગટાવીને મંદિર, બગીચા અને ઘરમાં રાખો. સાથે જ તુલસી અને પીપળાના ઝાડ નીચે પણ રાખો. આવું કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપનો દોષ ઓછો થઈ જાય છે.