Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જસદણના લાતીપ્લોટને જોડતા બ્રિજ પરથી વાહનોની આવાગમન સદંતર બંધ કરી દેવામાં આવી છે અને વાહનચાલકોને ડાઇવર્ટ રૂટ પરથી જવાનું રહેશે તેવું જાહેરનામું જસદણ પ્રાંત અધિકારી અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટએ બહાર પાડી દીધું છે અને આ જાહેરનામાનો ભંગ કરનારા સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

આ પુલ વર્ષો પહેલાં બન્યો હોઇ મરામતની તાતી જરૂર હોવાનો રિપોર્ટ આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે.આ બ્રીજ ઉપર તમામ પ્રકારના વાહન વ્યવહાર તેમજ જાહેર જનતાની અવરજવરથી દુર્ઘટના થવાની સંભાવના હોવાથી બ્રીજનું રીપેરીંગ કે નવીનીકરણ ન થાય ત્યાં સુધી બ્રીજ ઉપયોગમાં ન લેવાનો નિર્ણય કરવામં આવ્યો છે. જસદણમાં જૂના બસ સ્ટેન્ડથી કમરીબાઈ પુલ ઉપરથી પસાર થઈ પુલની જમણી બાજુ શરમાળીયા દાદાના મંદિર સામેના રસ્તા ઉપરથી નગરપાલિકાના ગઢડીયા રોડ પરના પાણીના સંપ પાસેથી નીકળી સન ટોકીઝ પાસેથી લાતી પ્લોટ વિસ્તારમાંથી ગોખલાણા રોડ તરફ અને ગોખલાણા રોડ તરફથી આવતા વાહનો લાતીપ્લોટ પુલ (કાળીયા બ્રિજ) ના પૂર્વ બાજુના ખુણેથી સન ટોકીઝ પાસેથી નગરપાલીકાના ગઢડીયા રોડ પરના પાણીના સંપ પાસેથી નીકળી કમળીબાઈ પુલ તરફ જવાના રસ્તે નીકળશે. તા.23 માર્ચના રોજ દિવ્યભાસ્કરે આ અહેવાલ પ્રકાશિત કર્યો હતો.