Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શનિવારે મલેશિયામાં ઈબ્રાહિમ ઈસ્કંદરનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ સાથે ઈબ્રાહિમ દેશના 17મા રાજા બન્યા. આ સમારોહ મલેશિયાની રાજધાની કુઆલાલંપુરના નેશનલ પેલેસમાં યોજાયો હતો. ઇસ્કંદર આગામી 5 વર્ષ સુધી મલેશિયાના રાજા રહેશે. 1957માં બ્રિટનથી આઝાદી મળી ત્યારથી, મલેશિયામાં મલય રાજ્યોના શાસકો પાંચ વર્ષની મુદત માટે ફરતા ધોરણે સિંહાસન સંભાળે છે.


રાજ્યાભિષેક સમારોહમાં મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ ઉપરાંત પાડોશી દેશ બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયા અને બહેરીનના રાજા હમદ-બિન-ઈસા-અલ-ખલીફા પણ હાજર હતા. રાજા ઇસ્કંદરે સોનેરી દોરાઓથી સુશોભિત કોટ અને પાઘડી પહેરી હતી.

સમારોહની શરૂઆતમાં, સુલતાન ઇસ્કંદર અને રાણી રઝા ઝરિત સોફિયાનું સાત લશ્કરી સલામી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી સુલતાનને કુરાનની નકલ આપવામાં આવી, જેને તેણે કિસ કરી. ત્યારબાદ ઇસ્કંદર મહારાજને તેમની શક્તિના પ્રતિક રૂપે સોનાનો ખંજર આપવામાં આવ્યો. વડા પ્રધાન અનવરે સુલતાન પ્રત્યે વફાદારીના શપથ લીધા. આ પછી ઈસ્કંદરને દેશનો નવો રાજા જાહેર કરવામાં આવ્યો.

રાજ્યાભિષેક પછી તેમણે બંધારણનું પાલન કરવા, ઇસ્લામને આગળ વધારવા અને મલેશિયામાં શાંતિ સુનિશ્ચિત કરવાના શપથ લીધા. સમારોહના અંતે 3 વખત 'લોંગ લિવ ધ કિંગ'ના નારા લગાવવામાં આવ્યા હતા.