Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશની સુરક્ષા એજન્સીઓ આંતરરાષ્ટ્રીય સરહદો નજીકના વિસ્તારોમાં રહેતા તમામ નાગરિકોનો ડેટા ભેગો કરવા સરવે કરાવવા જઇ રહી છે. આ શરૂઆત રાજસ્થાનથી થશે. આ તમામ માહિતી કેન્દ્રીય સ્તરે ભેગી થશે. સરહદી ગામોમાંથી સૈન્ય મૂવેન્ટ અને ગુપ્ત માહિતી લીક થયા પછી આ નિર્ણય લેવાયો છે.


સુરક્ષા એજન્સીઓની માંગ પર કેન્દ્ર સરકારે 2020માં આવો જ એક સરવે પશ્ચિમ બંગાળના મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં કરાવ્યો હતો. જોકે, તે નાના સ્તરે હતો. તેમાં અનેક એવાં તથ્યો સામે આવ્યાં હતાં જે રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ ખતરનાક સાબિત થઇ શકે એમ હતાં. એટલે નિર્ણય લેવાયો છે કે હવે સરહદી વિસ્તારોમાં રહેતા તમામ નાગરિકની પ્રોફાઇલ તૈયાર કરાશે.

પ. બંગાળમાં કરાયેલા સરવે પછી રાજકીય વિવાદ પણ સર્જાયો હતો. આ અંગે તૃણમૂલ કોંગ્રેસ અને ડાબેરીઓએ આકરી પ્રતિક્રિયાઓ આપી હતી. આ નિર્ણયને વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય ધ્રુવીકરણ કરવાની ચાલ પણ ગણાવાઈ હતી. આવા આરોપોથી બચવા કેન્દ્રએ તમામ રાજ્યના સરહદી વિસ્તારોનો સરવે કરવાનો નિર્ણય કર્યો છે. આ સરવેમાં સરહદથી 50 કે 100 કિ.મી. વિસ્તારમાં રહેતા તમામ ધર્મના લોકોને સામેલ કરાશે. નેપાળ, બાંગ્લાદેશ સરહદ નજીકનાં ક્ષેત્રોમાં મુસ્લિમ વસતી 32% સુધી વધી

ગુપ્તચર એજન્સીઓએ સરહદી વિસ્તારોમાં ફક્ત મુસ્લિમોની વસતી વધવાને ખતરનાક ગણાવ્યું છે. તેના આધારે બીએસએફનો દાયરો 100 કિ.મી. કરવાની ભલામણ કરાઇ હતી.