Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યાં હતા. હાલ બ્રિજ પર લટકી રહેલું ટેન્કર સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ આ ટેન્કર આટલા લાંબા સમયથી લટકતું હોવાથી સરકાર અને તંત્રને સતત ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટેન્કર વહેલી તકે બ્રિજ પરથી હટાવવા અધિકારીઓને કડક સુચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજે (1 ઓગસ્ટ,2025) વહેલી સવારથી નિષ્ણાંતોની ટીમ ટેન્કર હટાવવા માટે કામે લાગી છે. કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે ડ્રોન મારફતે અધિકારીઓ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જોકે, આ મામલે આણંદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, આ બ્રિજનું એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર પર કોઈપણ પ્રકારની હેવી મશીનરી લઈને આપણે ટેન્કરને બહાર કાઢી શકાય તેમ નથી, જેથી બલુન ટેકનોલોજીથી સાત દિવસની અંદર એ ત્યાંથી ટેન્કર હટાવી દેવામાં આવશે.

સસ્પેન્ડેડ 4 અધિકારીઓની મિલકતની તપાસ કરવા સીટની રચના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડેડ 4 અધિકારીઓ તથા એક રિટાયર્ડ અધિકારી વિરૂદ્ધ અપ્રમાણસર મિલકત અને સત્તાના દૂર ઉપયોગ મામલે તપાસ કરવા સરકાર તરફથી મંજૂરી મળતા ACB તરફથી સીટની રચના કરવામાં આવી છે.