આ વર્ષે ચોમાસામાં સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. રાજકોટ શહેરની જળ જરૂરિયાત સંતોષવા માટે સરકાર દ્વારા ફરી એકવાર ભરચોમાસે નર્મદા યોજનાના પાણીનો સહારો લેવામાં આવ્યો છે. અગાઉ રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠાલવવામાં આવ્યા હતા, જેને લઈને આજી-1 ડેમની સપાટી 27.33 ફૂટે પહોંચી ગઈ છે. જ્યારે હવે ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યા છે. હાલ તેની સપાટી 20.34 ફૂટ થઈ છે. હાલ પણ નર્મદાનું પાણી ન્યારી-1 ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે.
ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર ઠલવાયા સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીની આવક ઓછી હોવાથી રાજકોટની જળજરૂરિયાતને પહોંચી વળવા માટે સરકાર દ્વારા સમયસર પગલાં ભરવામાં આવ્યા છે. સૌની યોજના હેઠળ નર્મદાના નીર રાજકોટના મુખ્ય ડેમોમાં ઠાલવવામાં આવી રહ્યા છે, જેના કારણે શહેરીજનોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. અગાઉ આજી-1 ડેમમાં નર્મદાનું પાણી ઠલવવામાં આવ્યું હતું અને હવે ન્યારી-1 ડેમમાં પણ આ કામગીરી શરૂ કરવામાં આવી છે.
આજી-1 ડેમની સપાટી વધીને 27.33 ફૂટ થઈ રાજકોટની પાણીની જરૂરિયાત સંતોષવામાં આજી-1 ડેમનું મહત્ત્વનું યોગદાન છે. આ ડેમની કુલ ક્ષમતા 29 ફૂટ છે. તાજેતરમાં સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી ઠલવવામાં આવતા, તેની સપાટી 27.33 ફૂટ પર પહોંચી ગઈ છે. આ ડેમમાં હાલમાં 812 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાથી તેમાં નર્મદાના નીર ઠાલવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.