શહેરના સામાકાંઠા વિસ્તારમાં ચાંદીની ચોરી કરતા પકડાયેલા કારીગર સહિત બે પરપ્રાંતીય શ્રમિકને કારખાનેદાર સહિતના શખ્સોએ ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારી બેવડી હત્યાના બનાવને અંજામ આપ્યો છે. પાંજરાપોળ નજીક શિવશક્તિ સોસાયટીમાં આવેલા એમબીએસ ઓર્નામેન્ટ નામના ચાંદીના ઘરેણાં બનાવતા કારખાના ઉપરની ઓરડીમાં બે શ્રમિક ઇજાગ્રસ્ત હાલતમાં બેભાન પડ્યા હોવાની 108ને જાણ થઇ હતી.