Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલુપુર સ્થિત સ્ટેશનેથી મેટ્રોની સવારી કરીને વિધિવત ઉદઘાટન કરશે. જોકે જાહેર જનતા બીજી ઓક્ટોબરથી મેટ્રોની સવારી કરી શકશે. થલતેજથી વસ્ત્રાલ સુધીના કોરિડોર-2ની મેટ્રો સેવા 2 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે એપીએમસીથી મોટેરા સુધીના કોરિડોર-1ની મેટ્રો ટ્રેન સેવા 6 ઓક્ટોબરથી શરૂ થશે. ટિકિટનો દર 5, 10, 15, 20 અને 25 રૂપિયા રહેશે. અમદાવાદ મેટ્રોના ફેઝ-1ની કુલ લંબાઈ 40.03 કિમી છે. જેમાં અત્યારે કાર્યરત લંબાઈ 6.50 કિમી છે. પીએમ મોદી ઉદઘાટન કરશે તેની લંબાઈ 32.14 કિમી છે.ફેઝ-1માં અમદાવાદ મેટ્રોના કુલ 32 સ્ટેશનો છે. જેમાંથી હાલમાં કુલ 6 સ્ટેશનો કાર્યરત છે અને 23 સ્ટેશનોનું ઉદઘાટન કરવામાં આવશે.