Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રતની વિધિ શાસ્ત્રોમાં જણાવવામાં આવી છે. આ વ્રત જેઠ માસની તેરસથી પૂર્ણિમાના દિવસે રાખવામાં આવે છે. આ વ્રત કાલે (એટલે કે 19 જૂને) પૂનમના દિવસે મનાવવામાં આવશે. આ વ્રતનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં કરવામાં આવ્યો છે.

આ વ્રત રાખવાથી પતિને આવતી સમસ્યાઓ દૂર થાય છે અને આયુષ્ય લાંબુ થાય છે. આટલું જ નહીં જો વિવાહિત જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી હોય તો તે પણ આ વ્રતના મહિમાથી દૂર થઈ જાય છે.

પરિણીત મહિલાઓ આ દિવસે વટ એટલે કે વટવૃક્ષ નીચે પ્રાર્થના કરે છે, તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે પ્રાર્થના કરે છે. આ દિવસે સાવિત્રી અને સત્યવાનની કથા સાંભળવાની પરંપરા છે.

એવું માનવામાં આવે છે કે આ કથા સાંભળવાથી ઈચ્છિત ફળ મળે છે. દંતકથા અનુસાર, સાવિત્રીએ મૃત્યુના દેવતા યમરાજ પાસેથી તેના પતિ સત્યવાનનું જીવન પાછું લાવ્યું હતું.