Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

તરુણાવસ્થા એવી અવસ્થા છે જેમાં યોગ્ય દિશા અને સલાહ ન મળી રહે તો ઘણી સમસ્યાઓ સર્જાય છે. આ એવો સમય છે જેમાં શારીરિક, માનસિક ઘણા પરિવર્તન આવે છે અને આ પરિવર્તન સાથે તાલમેલ ન મળે તો વિવિધ પ્રકારની સમસ્યાઓનો ભોગ બનવું પડે છે.


યોગ્ય સલાહ ત્યારે આપી શકાય જ્યારે સમસ્યા યોગ્ય રીતે જાણી શકાય. આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ ભવન અધ્યક્ષ ડૉ. જોગસણ અને અધ્યાપક ડૉ. દોશીના માર્ગદર્શનમાં 4410 તરુણો પાસેથી માહિતી એકત્ર કરી. આ માહિતીમાં કેટલાક ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે જેમાં 13થી 15 વર્ષના 8.14% છોકરા અને 12% છોકરીઓ તેમજ 16થી 18 વર્ષના 27% તરુણ અને 32% તરુણીઓ મોબાઈલના બંધાણી છે. આ ઉપરાંત બાળકોમાં હજુ પણ વાંચેલું યાદ ન રહેવું, પરીક્ષાનો ભય, નકારાત્કામ વિચારો, આત્મવિશ્વાસનો અભાવ જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે.