Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોમાં રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે કેશોદ વિધાનસભાની સીટ પર પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. કેશોદ ભાજપમાં ગાબડું પડ્યું છે. પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. કેશોદ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવાર દેવા માલમને ટિકિટ અપાતા વિવાદ સર્જાયો છે. અરવિંદ લાડાણીએ નારાજગી સાથે રાજીનામું આપું અને હવે અપક્ષમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

કેશોદ વિધાનસભા સીટમાં ભારતીય જનતા પાર્ટીમાંથી પાર્ટી પાસે મે ટિકિટ માગી હતી. જોકે, અનિવાર્ય સંજોગોએ પાર્ટીએ જે નિર્ણય લીધો છે તે શિરોમાન્ય છે. વધુમા અરવિંદ લાડાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 1983થી ભારતીય જનતા પાર્ટીની સેવા કરી છે. 2017 સુધી પાર્ટીએ ધારાસભ્યની ટિકિટ આપતા લોકો વચ્ચે રહી લોકોની સેવા કરી છે. ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન 560 કરોડના વિકાસના કામો કર્યા છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ મને આ વખતે ટિકિટ નથી આપી.