ઔરંગઝેબના પુતળું બાળવામાં આવ્યા પછી હિંસા ફાટી નીકળ્યા બાદ મંગળવારે નાગપુરના 11 વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
સોમવારે સાંજે થયેલી હિંસામાં 33 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જેમાં 3 ડીસીપીનો પણ સમાવેશ થાય છે. પાંચ નાગરિકો પણ ઘાયલ થયા છે, જેમાંથી એક ICUમાં દાખલ છે.
તોફાનીઓએ 12 બાઇક, અનેક કાર અને 1 JCB સળગાવી દેવાયા હતા. પોલીસે રમખાણોના આરોપસર 50 લોકોની ધરપકડ કરી છે.
તે જ સમયે, સંભાજીનગરમાં ઔરંગઝેબના મકબરા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. કબર તરફ જતા રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. આવતા-જતા દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે.