ગુજરાતમાં ફરી એકવાર IAS અધિકારીની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. રાજકોટ કલેકટર, જૂનાગઢ મ્યુ. કમિશનર સહિત 9 IAS અધિકારીની બદલી કરવામાં આવી છે. જ્યારે 4 IASને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગમાં અગ્ર સચિવ તરીકે કાર્યરત અશ્વિનીકુમારને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં બદલી કરવામાં આવી છે. અશ્વિનીકુમાર પાસે લેજિસ્લેટિવ એન્ડ પાર્લામેન્ટરી અફેર્સ વિભાગનો ચાર્જ પણ યથાવત રહેશે.
એમ. થેન્નારસનઃ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં કાર્યરત એમ.થેન્નારસનની શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે.
મિલિન્દ તોરવણેઃ GSPCના MD મિલિન્દ તોરવમેની પંચાયત, ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ આવાસ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. તોરવણે પાસે કમિશનર ઓફ રૂરલ ડેવલપમેન્ટ અને રૂરલ ડેવલપમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો વધારાનો ચાર્જ પણ રહેશે.GSPCના MD તરીકેનો પણ વધારાનો ચાર્જ યથાવત રહેશે.