Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટમાં સ્વાદના શોખીન લોકોની કમી નથી. એટલે જ જીભને ચટાકો મળે તેવો ખોરાક આરોગવામાં રાજકોટીયન્સ અગ્રીમ હરોળમાં આવે છે. જેને પગલે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત રેસ્ટોરાંમાં દરોડા પાડવામાં આવે છે જેથી સ્વાદના નામે ભેળસેળિયા ખોરાકનું વેચાણ અટકે ત્યારે શહેરમાં ફાસ્ટફૂડ અને ખાસ તો પંજાબી વાનગીઓ માટે પ્રખ્યાત 'સન્ની પાજી દા ઢાબા'માં ફેફસા માટે હાનીકાર સીન્‍થેટીક ફૂડ કલર મળી આવ્યો છે. મનપાના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ સીન્‍થેટીક ફૂડ કલર એટલો જોખમી છે કે તેનું સેવન કરવાથી કેન્સર જેવા ગંભીર રોગ થઈ શકે છે. જેને પગલે મનપા દ્વારા રૂ.6 લાખનો દંડ સન્ની પાજી'ના સંચાલકોને ફટકારવામાં આવ્યો છે.

નોંધનીય છે કે 7 મહિના પૂર્વે પણ સન્ની પાજી દા ઢાબા રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કિચનમાં ખૂબ જ ગંદકી જોવા મળી હતી. ફ્રીઝ અને સ્ટોરેજમાં જીવાત, સડેલા બટેટા અને બિન આરોગ્યપ્રદ શાકભાજીનો જથ્થો મળી આવ્યો હતો. શાકમાં પ્રતિબંધિત આજીનો મોટોના ઉપયોગ અને ગ્રેવી શાકમાં કેમિકલ કલર મળી આવ્યો હતો. ફ્રીઝમા વાસી લોટ, શાકભાજી, મંચ્યુરીયન ગ્રેવી સહિત 12 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોમર્શિયલ કોમ્પલેક્સમાં રસોડુ અને સ્ટોરેજ બનાવવામાં આવ્યાનું ખુલ્યું હતું.