Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

તુર્કીએ (જૂનું નામ તુર્કી)માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ હતી. આંચકા એટલા ભારે હતા કે રાજધાની અંકારા, ઈસ્તાંબુલ અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતા. હાલ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.

સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર ડુજસે પ્રાંતના ગોલકાયામાં હતું. આ શહેર ઈસ્તાંબુલથી 200 કિલોમીટર દૂર છે. આ જ શહેરમાં 1999માં એક ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેમાં 800 લોકોના મોત થયા હતા.

અંકારામાં રહેતા ઓમેર અનસે કહ્યું- હું લગભગ 4 વાગે જાગી ગયો હતો. મકાન ધ્રૂજી રહ્યું હતું. રૂમમાં રાખેલી બુકશેલ્ફ અચાનક પડી ગઈ. હું ડરી ગયો અને ઘરની બહાર નીકળી ગયો. ગયા અઠવાડિયે જ વહીવટીતંત્રે ભૂકંપ નિવારણ માટે કવાયત હાથ ધરી હતી. ભૂકંપના આટલા ભારે આંચકા અંકારામાં મેં પહેલા ક્યારેય અનુભવ્યા નથી. મને આશા છે કે લોકો સુરક્ષિત છે. અન્ય એક વ્યક્તિએ ભૂકંપને સૌથી ખતરનાક ગણાવ્યો હતો. અબ્દીફાતાહ અદાને કહ્યું- મને જોરદાર ધ્રુજારીનો અનુભવ થયો. એપાર્ટમેન્ટમાં એક વિચિત્ર કંપન અનુભવાતું હતું. એવું લાગતું હતું કે બિલ્ડિંગ તૂટી પડવાની તૈયારીમાં છે. બધા બહાર આવ્યા અને રસ્તા પર ભેગા થયા હતા.