ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના F-16 ફાઇટર જેટ ગુમાવવા અંગે અમેરિકાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. NDTVના પ્રશ્નના જવાબમાં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે કહ્યું કે તેણે F-16 જેટ વિશે માહિતી માટે પાકિસ્તાન સરકાર સાથે વાત કરવી જોઈએ.
હકીકતમાં, વાયુસેનાના વડા એપી સિંહે શનિવારે કહ્યું હતું કે મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતીય વાયુસેનાએ જેકોબાબાદ એરપોર્ટ પર F-16 ધરાવતા હેંગર પર હુમલો કર્યો હતો. આમાં હેંગરનો અડધો ભાગ નાશ પામ્યો હતો, જેના કારણે તેમાં હાજર કેટલાક વિમાનોને પણ નુકસાન થયું હશે.
તેમણે એમ પણ કહ્યું કે સુક્કુરમાં એક ડ્રોન હેંગર અને ભોલારીમાં એક ખાસ એરક્રાફ્ટ હેંગરને પણ નિશાન બનાવ્યું હતું. આ હુમલાઓમાં ઓછામાં ઓછું એક મોટું એરક્રાફ્ટ અને કેટલાક F-16 ખોવાઈ ગયા હોવાનો અંદાજ છે.
અમેરિકન કંપનીએ F-16 ફાઇટર જેટ બનાવ્યું યુએસ ટેકનિકલ સપોર્ટ ટીમ્સ (TSTs)ની ટીમ પાકિસ્તાનમાં 24 કલાક તહેનાત રહે છે અને ત્યાંના F-16 વિમાનો પર નજર રાખે છે. આ ટીમ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના કરારો હેઠળ કામ કરે છે. પરંતુ આ વખતે અમેરિકાએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.
આ 2019 કરતા અલગ છે, જ્યારે બાલાકોટ હુમલા પછી, અમેરિકાએ કહ્યું હતું કે પાકિસ્તાનના બધા F-16 સુરક્ષિત છે.
F-16એ અમેરિકાનું એક પ્રખ્યાત અને શક્તિશાળી ફાઇટર જેટ છે, જે 1970ના દાયકામાં જનરલ ડાયનેમિક્સ દ્વારા બનાવ્યું હતું. હવે તે અમેરિકન સંરક્ષણ કંપની લોકહીડ માર્ટિન દ્વારા બનાવવામાં આવે છે. પાકિસ્તાન સહિત 25 થી વધુ દેશો F-16નો ઉપયોગ કરે છે.