Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in


વૈશ્વિક સ્તરે મંદીના તોળાતા ખતરા વચ્ચે 78% ભારતીય CEOના મતે આગામી 12 મહિના દરમિયાન વૈશ્વિક આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો થશે. PwCના વાર્ષિક ગ્લોબલ CEO સરવેમાં 105 દેશોના કુલ 4,410 સીઇઓને આવરી લેવાયા હતા જેમાંથી ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન ભારતના 68 સીઇઓ પણ સામેલ છે. સરવેમાં સામેલ મોટા ભાગના CEO વૈશ્વિક આર્થિક વૃદ્ધિને લઇને નિરુત્સાહી વલણ ધરાવતા હતા.


પરંતુ, 10માંથી 6 CEO (58%)એ આગામી 12 મહિના દરમિયાન દેશના ગ્રોથના ચિત્રને લઇને આશાવાદ દર્શાવ્યો હતો. તેની તુલનામાં માત્ર 37% સીઇઓ (એશિયા પેસિફિક) તેમજ ગ્લોબલ સીઇઓમાંથી 29%એ આગામી 12 મહિના દરમિયાન તેમના દેશમાં આર્થિક સ્થિતિ સુધરશે તેવી આશા વ્યક્ત કરી હતી.

62% સીઇઓના મતે ગ્રાહકોની સતત બદલાતી માંગને કારણે નફાકારકતાને અસર થશે : વૈશ્વિક અનિશ્વિતતા અને પડકારજનક માહોલ વચ્ચે 41% સીઇઓના મતે તેની સંસ્થા આર્થિક રીતે વધુ સાનૂકૂળતા દર્શાવશે નહીં. 62% ભારતીય સીઇઓ અનુસાર ગ્રાહકોની સતત બદલતી માંગને કારણે આગામી 10 વર્ષ દરમિયાન મહત્તમ અંશે કંપનીઓની નફાકારકતાને અસર થશે જ્યારે 54% સીઇઓ નિયમોમાં બદલાવને લઇને વધુ ચિંતિત જણાયા હતા.

વૈશ્વિક સ્તરે ઇકોનોમિક ગ્રોથને લઇને બિઝનેસ કોન્ફિડેન્સમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉર્જા સંકટને કારણે અનેક દેશો સ્થાનિક ગ્રોથને લઇને વધુ નિરુત્સાહી જણાયા હતા. વિશ્વમાં પરિસ્થિતી સુધરી રહી છે.