Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મિશન 150 પ્‍લસના ટાર્ગેટ સાથે પ્રથમ તબક્કાની તમામ બેઠકો ભાજપના સ્‍ટાર પ્રચારકો ખુંદી વળ્‍યા છે. રાષ્ટ્રીય અધ્‍યક્ષ જે.પી. નડ્ડા, યોગી આદિત્‍યનાથ, અનુરાગ ઠાકુર, સ્‍મૃતિ ઈરાની સહિત અને કેન્‍દ્રના નેતાઓ તેમજ ભાજપના રાજયના ધારાસભ્‍યો પણ અલગ અલગ વિધાનસભા વિસ્‍તારમાં સભાઓ ગજવી રહ્યાં છે. તેમાં જ ભાજપના દિગ્‍ગજ નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર માટે પાંચ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે હવે ગૃહમંત્રી અમિત શાહ પણ આવતીકાલે જસદણ ખાતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાના પ્રચાર-પ્રસાર અર્થે સભા ગજાવશે. અને ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન પણ કરશે. હાલ ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

 

રાજકોટ આજે ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ મીની કમલમની મુલાકાત લીધી અને પત્રકાર પરિષદને સંબોધી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે,જનસંઘની સ્થાપના રાજકોટથી થઈ હતી. વડાપ્રધાન પોતાની રાજકીય કાળની પ્રથમ ચૂંટણી અહીંથી લડ્યા હતા. અને ભાજપે રાજકોટને ઘણું આપ્યું છે. એઇમ્સ અને ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેનું ઉદાહરણ છે. પાણીની સમસ્યાઓમાંથી અહીં લોકોને કાયમી માટે મુક્તિ મળી છે. ગઈકાલે રાહુલ ગાંધીએ અહીં સભા કરી હતી, તેઓ એવા વ્યક્તિના ખભે હાથ રાખી ચાલી રહ્યા છે કે જેઓએ ગુજરાતનો 20 વર્ષ સુધી વિકાસ રુંધ્યો છે. જયારે સાવરકર અંગે આપેલ તુષાર ગાંધીના નિવેદનને તેમના અંગત વિચારો ગણાવ્યા હતા.

Recommended