Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શિક્ષણ મંત્રાલય દ્વારા વિાર્થીઓના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે UGC રેગ્યુલેશન 2019માં સુધારો કરીને મંત્રાલય દ્વારા ઘણી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. હવે કોલેજ કે યુનિવર્સિટી વિાર્થીઓને નિયત નિયમો મુજબ પ્રવેશ આપવા, નિયત કરતાં વધુ ફીની વસૂલાત નહીં કરી શકાય, સીટોના અનામત, કોઈ પણ કારણોસર પ્રમાણપત્ર આપવાનો ઈન્કાર કરી શકશે નહીં.


બીજી તરફ, દરેક શૈક્ષણિક સંસ્થામાં લોકપાલની નિમણૂક કરાશે. આ પદ પર નિવૃત્ત કુલપતિ, પ્રોફેસરો અને નિવૃત્ત જિલ્લા અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરાશે. વિાર્થીઓની ફરિયાદો સાંભળવા માટે એક સમિતિની રચના કરાશે.

દરેક સંસ્થામાં સમિતિ, અધ્યક્ષ, 4 સભ્યો હશે
વિાર્થીઓની ફરિયાદો અને નિરાકરણ લાવવા માટે વિાર્થી ફરિયાદ નિવારણ સમિતિ (SGRC)ની રચના કરાશે. જેમાં અધ્યક્ષ તરીકે એક પ્રોફેસર અને 4 સભ્યોની નિમણૂક કરવામાં આવશે. સભ્યોમાં એક મહિલા અને એક વિાર્થી પણ હશે.