Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ મનપાએ ઢોર ડબ્બાના સંચાલન માટેનો કોન્ટ્રાક્ટ જીવદયા ઘરના યશ અને રાજેન્દ્ર શાહને આપ્યો છે. કોન્ટ્રાક્ટરનું કામ ઢોર ડબ્બે આવતા પશુઓને ચારો આપવો, સારવાર કરવી, સફાઈ રાખવાનો છે. આ માટે કોન્ટ્રાક્ટર મનપાને મહિને 18થી 20 લાખ રૂપિયાનું બિલ મોકલે છે અને તેની ચૂકવણી થાય છે. આ ઉપરાંત ઢોર ડબ્બામાં છાણ, ખાતર સહિતના વેચાણની આવક કરવાની પણ છૂટ અપાયેલી છે.


જોકે તેમને ઢોર ડબ્બાનુ નામ બદલવાની કે પછી જનરલ બોર્ડમાં પસાર ન થયા હોય તેવા નિયમો બનાવવાની કોઇ જ છૂટ નથી પણ અહીં કોન્ટ્રાક્ટરે તો સ્પષ્ટ બોર્ડ લગાવી દીધા છે કે હવે આ ઢોર ડબ્બો નથી! કોન્ટ્રાક્ટર યશ અને રાજેન્દ્ર શાહે ગેટ પાસે જ મસમોટું બોર્ડ લગાવી દીધું છે અને ત્યાં ‘જીવદયા ઘર પાંજરાપોળ’ લખ્યું છે. અંદર જતા જ જાહેર સૂચનાનું પોસ્ટર લગાવીને તેમાં લખ્યું છે કે, માલધારીઓને વિનંતી કે આ હવે ઢોર ડબ્બો રહ્યો નથી આરએમસી સાથે નક્કી કર્યા મુજબ પાંજરાપોળને સોંપવામાં આવેલ છે.

આ તમામ બાબતો એક મોટું જૂઠાણું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે કારણ કે મનપાએ ફક્ત સંચાલન સોંપ્યું છે જગ્યાની માલિકી મનપાની જ છે તેમજ નામ બદલવાની અને નિયમો બનાવવાની સત્તા પણ મનપાની જ છે. આ ઉપરાંત આજી ડેમમાં જૂના ઝૂમાં પણ જગ્યા પર ગેરકાયદે કબજો કરીને ત્યાં જીવદયા ઘરના બોર્ડ લગાવી દેવાયા છે. આ અંગે એ.એન.સી.ડી. વિભાગના અધિકારી ડો.જાકાસણિયાનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, માત્ર સંચાલન અપાયું છે ઢોર ડબ્બો અપાયો નથી તેમજ નામકરણ પણ કરી શકાય નહીં. આ મામલે મ્યુનિસિપલ કમિશનરનું માર્ગદર્શન લેવાશે.