Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

18 ઓક્ટોબરના રોજ મંગળવાર અને પુષ્ય નક્ષત્રનો યોગ હોવાથી મંગળ પુષ્ય રહેશે. આ ખરીદીનો શુભયોગ છે. આ દિવસે કરવામાં આવતી પૂજા અક્ષય પુણ્ય આપનારી માનવામાં આવે છે. મંગળવારે હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.


ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે મંગળ પુષ્યના દિવસે મંગળ ગ્રહ માટે ખાસ પૂજા કરવી જોઈએ. દર મંગળવારે મંગળના જન્મ સ્થાન ઉજ્જૈનમાં મંગલનાથ મંદિર અને અંગારેશ્વર મહાદેવ મંદિરમાં અનેક ભક્તો મંગળદેવની પૂજા કરવા પહોંચે છે. મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાથી આ દિવસનું મહત્ત્વ વધી ગયું છે. જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહને લગતા દોષ છે, તેમના માટે આ એક શુભ અવસર છે.

શિવલિંગ સ્વરૂપમાં મંગળની પૂજા કરવામાં આવે છે.
મંગળ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. મંગળ ગ્રહને લાલ વસ્તુઓ ખાસ ચઢાવવામાં આવે છે- જેમ કે, લાલ વસ્ત્ર, લાલ ગુલાલ, લાલ ફૂલ, લાલ મસૂર વગેરે. આ ગ્રહની પૂજામાં મંગળના મંત્ર ૐ અં અંગારકાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

જ્યોતિષમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવ્યાં છે. આ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. કુંડળીમાં આ ગ્રહની સ્થિતિ યોગ્ય ન હોય તો વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને સાહસની ઉણપ રહે છે. આ સિવાય પારિવારિક સંબંધોમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મંગળ પુષ્યના દિવસે કરવામાં આવતી મંગળ પૂજાથી આ સમસ્યાઓની અસર ઓછી થાય છે.

18 ઓક્ટોબરના રોજ મંગળવાર અને પુષ્ય નક્ષત્રનો યોગ હોવાથી મંગળ પુષ્ય રહેશે. આ ખરીદીનો શુભયોગ છે. આ દિવસે કરવામાં આવતી પૂજા અક્ષય પુણ્ય આપનારી માનવામાં આવે છે. મંગળવારે હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.


ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે મંગળ પુષ્યના દિવસે મંગળ ગ્રહ માટે ખાસ પૂજા કરવી જોઈએ. દર મંગળવારે મંગળના જન્મ સ્થાન ઉજ્જૈનમાં મંગલનાથ મંદિર અને અંગારેશ્વર મહાદેવ મંદિરમાં અનેક ભક્તો મંગળદેવની પૂજા કરવા પહોંચે છે. મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાથી આ દિવસનું મહત્ત્વ વધી ગયું છે. જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહને લગતા દોષ છે, તેમના માટે આ એક શુભ અવસર છે.

શિવલિંગ સ્વરૂપમાં મંગળની પૂજા કરવામાં આવે છે.
મંગળ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. મંગળ ગ્રહને લાલ વસ્તુઓ ખાસ ચઢાવવામાં આવે છે- જેમ કે, લાલ વસ્ત્ર, લાલ ગુલાલ, લાલ ફૂલ, લાલ મસૂર વગેરે. આ ગ્રહની પૂજામાં મંગળના મંત્ર ૐ અં અંગારકાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

જ્યોતિષમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવ્યાં છે. આ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. કુંડળીમાં આ ગ્રહની સ્થિતિ યોગ્ય ન હોય તો વ્યક્તિમાં આત્મવિશ્વાસ અને સાહસની ઉણપ રહે છે. આ સિવાય પારિવારિક સંબંધોમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મંગળ પુષ્યના દિવસે કરવામાં આવતી મંગળ પૂજાથી આ સમસ્યાઓની અસર ઓછી થાય છે.