Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સિવિલ હોસ્પિટલ ખાતે બનતા બ્રિજના કામને કારણે છેલ્લા કેટલાક સમયથી એસટી બસ ફરી ફરીને ચાલતી હતી. હવે આ બ્રિજ ખુલ્લો મુકાતા રાજકોટથી અમદાવાદ જતી બસનું 4.30 કિ.મી.નું અંતર ઘટી ગયું છે. તેમજ જે વધારાનું રૂ.2 ભાડું લગાવવામાં આવ્યું હતું તે હવે રદ કરવામાં આવશે. આ સિવાય જામનગર જતી બસ પણ બ્રિજ નીચેથી મળી જશે. વળતા આ બન્ને રૂટના મુસાફરોને જ્યુબિલી ચોક ખાતે ઉતરવાનું રહેશે. તેમ એસટી વિભાગીય નિયામક વડા જે.બી. કલોતરાએ જણાવ્યું છે.


વધુમાં તેને માહિતી આપતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ચોક ખાતે આર્મ ફ્લાય ઓવરબ્રિજની કામગીરી પૂરી થતા હવે રાજકોટ બસપોર્ટથી અમદાવાદ તરફ જતી બસનું 4.30 કિ.મી.નું અંતર ઘટી જાશે. તેમજ હવે રાજકોટથી અમદાવાદ જતી બસના મુસાફરોને બ્રિજ નીચે ઊભા રહેવાનું રહેશે તથા અમદાવાદથી રાજકોટ તરફ આવતા હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ થઈને સંચાલન કરવાનું રહેશે. રાજકોટથી જામનગર તરફ જતા હોસ્પિટલ ચોક ખાતે ઓવરબ્રિજ નીચે ઊભેલા મુસાફરોને લેવાના રહેશે. તથા જામનગરથી રાજકોટ તરફ આવતા મુસાફરોને જ્યુબિલી ચોક પાસે ઉતારવાના રહેશે.