Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રતક પૂનમ બે દિવસ રહેશે:આજે સાંજે દીપદાન અને મંગળવારે સવારે 8 વાગ્યા પહેલાં સ્નાન-દાન કરવાથી અક્ષય પુણ્ય મળશે

એક કલાક પહેલા

કારતક મહિનાનો છેલ્લો દિવસ 8 નવેમ્બરના રોજ છે. આ દિવસે પૂનમ તિથિ રહેશે. કારતક પૂર્ણિમાએ તીર્થ સ્નાન, વ્રત, ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની પૂજા અને દીપદાન કરવાની પરંપરા છે. પરંતુ આ દિવસે ચંદ્રગ્રહણ રહેશે. એટલે દીપદાન 7 નવેમ્બરે સાંજે કરવામાં આવવું જોઈએ. મંગળવારે સવારે સાડા 8 વાગ્યા પહેલાં તીર્થ સ્નાન કરવું જોઈએ. ત્યાં જ, આખો દિવસ વ્રત રાખીને સાંજે ગ્રહણ પૂર્ણ થયા પછી પૂજા કરવી જોઈએ.

કારતક મહિનાની પૂનમ તિથિએ કરવામાં આવતા સ્નાન અને દાનથી અખૂટ પુણ્ય મળે છે. વ્રત, પૂજા-પાઠ અને દીપદાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ દૂર થાય છે. પુરાણોમાં પણ આ દિવસને પુણ્ય આપનાર પર્વ કહેવામાં આવે છે.

7મીએ સાંજે અને 8મીએ ગ્રહણ પૂર્ણ થયા પછી દીપદાન કરવું
કારતક પૂનમ 7 નવેમ્બરે એટલે આજે સાંજે લગભગ સાડા 4 વાગ્યાથી શરૂ થઈ જશે. એટલે ગોધુલિ વેળામાં આ દિવસે દીપદાન કરવાથી પુણ્ય મળશે. ત્યાં જ, બીજા દિવસે ચંદ્રગ્રહણ સાંજે લગભગ સાડા 6 વાગે પૂર્ણ થશે. જેથી ગ્રહણ પૂર્ણ થયા પછી પણ દીપદાન કરી શકાય છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે પુરાણોમાં કારતક મહિનાના છેલ્લાં દિવસે દીપદાનનું ખૂબ જ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. મહાપુણ્ય અને મોક્ષ આપનાર કારતક મહિનાના મુખ્ય નિયમોમાં સૌથી મુખ્ય દીપદાન જ છે.