બાબા રામદેવના શરબત જેહાદ કેસની સુનાવણી આજે દિલ્હી હાઈકોર્ટમાં થશે. બાબા રામદેવે હમદર્દ કંપનીનું નામ લીધા વિના રૂહ અફઝાને 'શરબત જેહાદ' કહ્યું હતું. આ પછી વિવાદ વધ્યો.
2 મેના રોજ થયેલી છેલ્લી સુનવણી દરમિયાન હાઈકોર્ટે રામદેવના નવા વીડિયો પર તીખી ટિપ્પણીઓ કરી હતી. જસ્ટિસ અમિત બંસલે કહ્યું કે રામદેવ કોઈના નિયંત્રણમાં નથી. તેઓ પોતાની દુનિયામાં રહે છે.
જ્યારે હાઈકોર્ટે રામદેવના વીડિયો પર નારાજગી વ્યક્ત કરી, ત્યારે તેમના વકીલે કહ્યું કે યોગ ગુરુના નવીનતમ વીડિયોનો વાંધાજનક ભાગ 24 કલાકની અંદર દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવશે.