Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભલે ભારતનો પાકિસ્તાન સાથેનો તણાવ ઓછો થયો હોય, પણ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI હજુ પણ ભારતમાં અશાંતિ ફેલાવવાના એજન્ડા પર કામ કરી રહી છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામની જાહેરાત બાદ, ISI એ ખાલિસ્તાન સમર્થકોને ઉશ્કેરવાનું શરૂ કરી દીધું છે જેથી ભારતમાં કોઈ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપી શકાય.

ISI કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુ અને અન્ય ખાલિસ્તાની આતંકવાદીઓની મદદ લઈ રહી છે.

તેમના દ્વારા પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોમાં ખાલિસ્તાની આતંકવાદીઓના નેટવર્કને ફરીથી સક્રિય કરવાનું કામ શરૂ થયું છે.

ખાલિસ્તાની આતંકવાદીઓનું કાવતરું ભારતમાં પોલીસ સ્ટેશનો, સેના અને સરકારી મથકોને નિશાન બનાવવાનું છે. છેલ્લા કેટલાક દિવસોમાં, કાવતરાને અંજામ આપવા માટે એક નવી રીત જોવા મળી છે.

ફરાર ખાલિસ્તાની આતંકવાદીઓ હવે ફરીથી ભારત આવવા લાગ્યા છે, જેથી અહીં કોઈ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપી શકાય. ગુપ્તચર એજન્સીઓએ દેશની તમામ સુરક્ષા તપાસ એજન્સીઓને આ અંગે ચેતવણી આપી છે.