Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુલાઈના રોજ 15 પાનાનો રિપોર્ટ સાર્વજનિક કર્યો છે. પ્રારંભિક તપાસ મુજબ આ દુર્ઘટના વિમાનના બંને એન્જિન બંધ થવાને કારણે થઈ હતી.


ટેકઓફના તરત જ બાદ એક પછી એક બંને એન્જિન બંધ થઈ ગયા હતા. આ દરમિયાન કોકપિટની રેકોર્ડિંગ પરથી જાણવા મળ્યું છે કે એક પાઇલટે બીજાને પૂછ્યું હતું કે શું તમે એન્જિન બંધ કર્યું છે? બીજાએ જવાબ આપ્યો, ના.

12 જૂને અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટ AI 171 ટેકઓફના થોડા જ સમય બાદ એક મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 270 લોકોના મોત થયા હતા, જેમાં 241 યાત્રીઓ અને ક્રૂ મેમ્બર શામેલ હતા. માત્ર એક યાત્રી આ દુર્ઘટનામાં જીવતો બચ્યો છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડમાં બંને એન્જિન હવામાં જ બંધ થઈ ગયા હતા - ઇંધણ કટઓફ સ્વીચ એક પછી એક માત્ર એક સેકન્ડમાં RUN થી CUTOFF માં બદલાઈ ગયા. રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે એન્જિનોને ઇંધણનો પુરવઠો મળતો બંધ થઈ ગયો હતો.