મંગળવારે બેંગલુરુ યુનિવર્સિટી કેમ્પસમાં રખડતા કૂતરાઓના હુમલામાં બે વિદ્યાર્થિનીઓ ઘાયલ થઈ હતી. જેમાંથી એકની હાલત ગંભીર છે. આ ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. આ વિદ્યાર્થિનીઓ ડૉ. બીઆર આંબેડકર સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના ઇન્ટિગ્રેટેડ એમએસસી કોર્સની ત્રીજા વર્ષની વિદ્યાર્થિનીઓ છે.
તેમની ઓળખ સૌજન્યા (કર્ણાટક) અને રેગા નિકિતા (તેલંગાણા) તરીકે થઈ છે. કૂતરાના હુમલાને કારણે સૌજન્યને ગંભીર ઈજાઓ થઈ છે. તેને ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવી છે. રેગાની સારવાર ચાલી રહી છે.
દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓને પકડવા, તેમને નસબંધી કરવા અને આશ્રય ગૃહોમાં રાખવા માટે સુપ્રીમ કોર્ટે કડક સૂચનાઓ જારી કર્યાના એક દિવસ પછી આ ઘટના બની. 2024માં દેશમાં કૂતરા કરડવાના 37 લાખ કેસ નોંધાયા હતા.