એવિએશન સેક્ટરમાં નવા સલામતી નિયમોને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત ત્રીજા દિવસે ક્રૂની અછતનો સામનો કરી રહી છે. આનાથી ઇન્ડિગોના સંચાલન પર ગંભીર અસર પડી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ગુરુવારે એકલા મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ એરપોર્ટ પર 550થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
પુણે એરપોર્ટ પર એક મુસાફરે આઠ કલાકથી વધુ સમય રાહ જોયાની જાણ કરી. એરપોર્ટના બંને માળ મુસાફરોથી ભરેલા હતા. ત્રણ મુસાફર બેભાન પણ થઈ ગયા. ફ્લાઇટ રદ કરવા અંગે એરલાઇન તરફથી કોઈ મેસેજ નથી.
આજે દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગોની કુલ 95 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં 48 પ્રસ્થાન અને 47 આવનારી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. મુંબઈમાં 86 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે બેંગલુરુમાં 73 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
હૈદરાબાદમાં લગભગ 33 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જયપુર એરપોર્ટ પર ચાર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ઇન્દોરમાં ત્રણ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ 1 નવેમ્બરથી પાઇલટ્સ અને અન્ય ક્રૂ-સભ્યોનાં કામ સંબંધિત તમામ એરલાઇન્સ માટે સલામતી નિયમોમાં સુધારો કર્યો છે. આનાથી ઇન્ડિગો એરલાઇન્સ સૌથી વધુ પ્રભાવિત થઈ છે.