Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરના ગોંડલ રોડ પરના આંબેડકરનગરમાં રહેતા અને 14 દિવસ પૂર્વે જ લગ્ન કરી સાંસારિક જિંદગીનો પ્રારંભ કરનાર યુવકે બુધવારે રાત્રે પોતાના ઘરે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, બનાવથી પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા. ખોરાણામાં કૂવામાં પડી જવાથી બાળકીનું મૃત્યુ થયું હતું.


આંબેડકરનગરના નીતિન ભરતભાઇ ચાવડા (ઉ.વ.26)એ પોતાના ઘરે ઉપરના રૂમમાં છતના હૂકમાં દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હતો, લાંબો સમય વીતવા છતાં નીતિન પોતાના રૂમમાંથી બહાર નહીં આવતા પરિવારજનો ઉપરના રૂમમાં જતા જ નીતિનનો લટકતો દેહ જોવા મળ્યો હતો, યુવકને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નીતિન બે ભાઇમાં મોટો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો, તેના 14 દિવસ પૂર્વે જ થોરાળા વિસ્તારની યુવતી સાથે લગ્ન થયા હતા, તેની પત્ની પિયર આંટો મારવા ગઇ હતી અને બુધવારે તેને તેડવા તે જવાનો હતો.

પરંતુ ત્યાં જવાને બદલે ઘરે રહી ફાંસો ખાઇ લીધો હતો, યુવકના આપઘાતથી જ્યાં 14 દિવસ પૂર્વે લગ્નના ગીતો ગવાયા હતા ત્યાં મરસિયા શરૂ થતાં ગમગીની છવાઇ ગઇ હતી. પોલીસે આપઘાતનું કારણ જાણવા વિશેષ તપાસ શરૂ કરી હતી.