Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રશિયાના પ્રવાસે ગયેલા વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ યુક્રેન યુદ્ધ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ પુટિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવતા વર્ષે રશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.


પુટિને જયશંકરને કહ્યું- અમને અમારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયામાં જોવાનું ગમશે. તેમણે કહ્યું કે વિશ્વમાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે, તેમ છતાં રશિયા અને ભારતના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. ભારતના લોકો ઝડપથી વિકાસ કરી રહ્યા છે.

પુટિને કહ્યું કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુક્રેન યુદ્ધની સ્થિતિ વિશે ઘણી વખત જાણ કરી છે. હું જાણું છું કે મોદી આ સંકટનો શાંતિપૂર્ણ ઉકેલ ઇચ્છે છે. પુટિને વિદેશ મંત્રીને કહ્યું- આવતા વર્ષે સામાન્ય ચૂંટણીને કારણે ભારતનું કેલેન્ડર વ્યસ્ત લાગે છે. જો કે, જે પણ જીતશે, રશિયા અને ભારતના સંબંધો સ્થિર રહેશે.

UNSCમાં ભારતની કાયમી બેઠક માટે રશિયાનું સમર્થન
વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ. આ દરમિયાન લવરોવે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી બેઠકનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું- G20ની અધ્યક્ષતા કરીને ભારતે પોતાની વિદેશ નીતિની તાકાત સાબિત કરી છે. અગાઉ મંગળવારે જયશંકર મોસ્કોમાં ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા.

જયશંકરે કહ્યું- છેલ્લા 70-80 દાયકામાં રશિયા અને ભારતમાં ઘણા ફેરફારો થયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રાજકારણ બદલાયું, પરંતુ બંને દેશો વચ્ચેનું જોડાણ સ્થિર રહ્યું.