Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતીય ફૂટબોલ ટીમે જાન્યુઆરીમાં યોજાનાર AFC એશિયન કપ માટે 26 ખેલાડીઓની ટીમ બહાર પાડી છે. સુનીલ છેત્રી ટીમના કેપ્ટન રહેશે. સ્ટાર ગોલકીપર ગુરપ્રીત સિંહ સંધુ અને ડિફેન્ડર સંદેશ ઝિંગન પણ ટીમનો ભાગ હશે.


સુનીલ છેત્રી અને ગુરપ્રીત સિંહ સંધુ 2011 AFC એશિયન કપમાં ભારતીય ટીમનો ભાગ હતા. છેત્રીએ બહેરીન અને સાઉથ કોરિયા સામે એક-એક ગોલ કર્યો હતો.

એશિયન કપમાં ભારત ગ્રુપ Bમાં છે. ભારતની પ્રથમ મેચ 13 જાન્યુઆરીએ અલ રેયાનના અહેમદ બિન અલી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે થશે. આ ટુર્નામેન્ટ 12 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી કતારમાં રમાશે.

ભારત પાંચમી વખત એશિયન કપમાં ભાગ લેશે
ભારતીય ફૂટબોલ ટીમ પાંચમી વખત એશિયન કપમાં ભાગ લેશે. આ પહેલા ટીમ 1964, 1984, 2011 અને 2019માં ટુર્નામેન્ટ રમી ચૂકી છે. 1964માં ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ફાઈનલ રમી. જ્યારે બાકીની ત્રણ આવૃત્તિઓમાં ભારત ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગયું હતું.

આ વખતે એશિયન કપમાં ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, ઉઝબેકિસ્તાન અને સીરિયા હશે. ભારતની પ્રથમ મેચ 13 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે, બીજી મેચ 18 જાન્યુઆરીએ ઉઝબેકિસ્તાન સામે અને ત્રીજી મેચ 23 જાન્યુઆરીએ સીરિયા સામે થશે.