Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બીચ હોય કે પાર્ક હોય કે મોટાભાગના ઘરોમાં જ્યાં જુઓ ત્યાં લોકો પોતાના સ્માર્ટ મોબાઈલ ફોન પર માંડ્યા રહેતા જોવા મળે છે. કેટલાક પરિવારોમાં તો નાના બાળકો મોબાઈલ ફોનમાં શોશ્યલ મીડિયાના માધ્યમનો એવો ચસ્કો લાગ્યો જોવા મળે કે, બાળકને જમાડતી વખતે મોબાઈલ ફોન ચાલુ હોય ત્યારે જ બાળકને જમાડી શકાય! પરંતુ આ આદત હાનિકારક સાબિત થઈ શકે છે.

 

પોરબંદરમાં પણ એક એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં 12 વર્ષના બાળકે પોતાનો જુના મોબાઈલ ફોનને બદલે નવો ફોન લેવાની જીદ કરી હતી અને આ જીદ એટલી હદે વ્યાકુળ બની કે બાળકે પોતાના ઘરમાં તોડફોડ કરી દેતાં તેના વાલીઓ સ્તબ્ધ બન્યા હતા અને બાળક પ્રત્યે ગંભીરતા દાખવી હોસ્પિટલ નો સહારો લેવો પડ્યો હતો તેવુ બાળરોગ નિષ્ણાંત તબીબ જય બદિયાણીએ જણાવ્યું હતું. તબીબે જણાવ્યું હતુંકે, મોબાઈલ ફોનની લતના કારણે બાળક આક્રમક બની ગયું હતું જેથી આ બાળકની મનોચિકત્સક પાસે રીફર કરવું પડતું હતું અને બાળકને કાઉન્સેલિંગ સેશન કરવા પડ્યા હતા.

ડો. જય બદિયાણીએ જણાવ્યું હતુંકે, બાળકો જ્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે ત્યારે મગજમાં ડોયામાઈન અને એન્ડોફિન નામના ન્યુરોટ્રાન્સમીટર વધુ સ્ત્રાવ થાય છે જેથી મગજને તેની આદત પડી જાય છે. બાદ બાળકને મોબાઈલ ફોન ન મળે તો બાળકનો સ્વભાવ ચીડિયો બની જાય છે અને ખુબજ ગુસ્સો આવે છે આથી આ મોબાઈલ ફોનનું વ્યસન તમાકુ, બીડી, માવા, દારૂ કરતા પણ વધુ ખતરનાક સાબિત થાય છે.