Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

યુએસએમાં બે દાયકા બાદ 8મી એપ્રિલે સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. સૂર્યગ્રહણ દરમિયાન પૃથ્વીની સપાટીથી 90થી 500 કિમી ઊંચે આવેલા આયનોસ્ફિયર તરીકે ઓળખાતા હવાના એક આવરણમાં કયા ફેરફારો થાય છે ? તેનો નાસા દ્વારા સંશોધન પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જેમાં નાસાએ 3 રોકેટ આયનોસ્ફિયરમાં મોકલ્યા હતા. આ પ્રોજેક્ટના મિશન ડાયરેક્ટર ભારતીય ડો.આરોહ બરજાત્યા હતા. મૂળ જયપુરના પણ વડોદરામાં વર્ષોથી વસતાં તેમનાં બહેન અપૂર્વાને તેમણે આ મિશનની કેટલીક રસપ્રદ બાબતો અને તૈયારીની તસવીરો મોકલાવી છે. ડો.આરોહ બરજાત્યા અમેરિકાના ફ્લોરિડાની એમ્બ્રી-રિડલ એરોનોટિકલ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ ફિઝિક્સના પ્રાધ્યાપક છે. માનવજાતિ માટે આ મિશન એટલા માટે અગત્યનું હતું કે, સૂર્યગ્રહણ દરમિયાન આયનોસ્ફિયરના રેડિયો સિગ્નલ વિખેરાય છેે. તેની અસર પૃથ્વી પરના મોબાઇલ ફોન, ટીવી સહિતના તમામ સંદેશાવ્યવહાર અને વીજપ્રણાલી પર પણ થાય છે. આ અસર કેટલી થાય છે તે આ અભ્યાસ પરથી જાણવાનો પ્રયાસ કરાયો છે. આગામી સમયમાં આ મિશનના અભ્યાસનાં તારણો વિશ્વ સમક્ષ આવશે.