Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મહાકુંભનો 21મો દિવસ છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 97 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું. 13 જાન્યુઆરીથી 34.57 કરોડથી વધુ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી છે.


વસંત પંચમી સ્નાનને ધ્યાનમાં રાખીને 2થી 4 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ શહેર અને મેળા વિસ્તારમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. VVIP પાસ પણ રદ કરવામાં આવ્યા છે. દેખરેખ માટે એક હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યું છે.

આજથી 4 ફેબ્રુઆરી સુધી ભક્તોએ પોતાના વાહનો શહેરની બહાર પાર્કિંગમાં પાર્ક કરવાના રહેશે. પાર્કિંગથી તેઓ શટલ બસ દ્વારા અથવા પગપાળા ઘાટ સુધી પહોંચી શકશે. નાના અને મોટા વાહનો માટે પાર્કિંગ અલગ અલગ કરવામાં આવ્યું છે.

પ્રયાગરાજના તમામ રેલવે સ્ટેશનો પર વન-વે સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જો ભક્તો એક બાજુથી આવે છે તો બહાર નીકળવાનો રસ્તો બીજી બાજુથી હશે.