પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત ગમે ત્યારે લશ્કરી કાર્યવાહી કરી શકે છે.
આસિફે કહ્યું કે પાકિસ્તાન સેનાએ સરકારને સંભવિત ભારતીય હુમલા વિશે જાણ કરી છે. જોકે, તેમણે સ્પષ્ટપણે કહ્યું નહીં કે તેમને શા માટે લાગ્યું કે હુમલો શક્ય છે.
આસિફે કહ્યું કે 'પાકિસ્તાન સંપૂર્ણપણે હાઇ એલર્ટ પર છે અને જો અમારા અસ્તિત્વ માટે સીધો ખતરો હશે તો જ અમે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરીશું.'
પહેલગામ હુમલા અંગે ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સમાપ્ત કર્યા પછી, પાકિસ્તાની મંત્રીઓ અને અધિકારીઓ સતત વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે
મુનીરે શનિવારે દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત પર નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે મુસ્લિમો અને હિન્દુઓ બે અલગ અલગ રાષ્ટ્રો છે. મુનીર ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના કાકુલ વિસ્તારમાં પાકિસ્તાન મિલિટરી એકેડેમી (PMA) ખાતે કેડેટ્સની પાસિંગ આઉટ પરેડને સંબોધિત કરી રહ્યા હતા.
તેમણે કહ્યું કે મુસ્લિમો જીવનના તમામ પાસાઓ - ધર્મ, રિવાજો, પરંપરા અને વિચારસરણીમાં હિન્દુઓથી અલગ છે. આપણા પૂર્વજોએ પાકિસ્તાન બનાવવા માટે ઘણું બલિદાન આપ્યું છે.