Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


મોરબી પુલ દુર્ઘટના બાદ રાજકીય માહોલ જામતો નથી. ત્યાં આજે ત્રણ રાજ્યના મુખ્યમંત્રીઓ પ્રચાર કરવાના છે. ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ, MPના સીએમ શિવરાજસિંહ ચૌહાણ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ આજે સભા ગજવશે. એ ઉપરાંત અન્ય સ્થળોએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 4 સભા કરશે, જ્યારે કેન્દ્રીય મંત્રી ભારતી પવાર 2 રેલી કરશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની 2 રેલી કરશે. યુપીના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકની 3 સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યાની 3 સભાનું આયોજન કરવામાં આવ્યું છે.