Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાકિસ્તાનના સિંધ પ્રાંતના મંત્રી સૈયદ સરદાર અલી શાહે શુક્રવારે કહ્યું કે ગુજરાત, હરિયાણા અને રાજસ્થાન અમારા છે. તેમણે કહ્યું કે અમે તેને સાબિત કરીને બતાવીશું.

સિંધ એસેમ્બલીમાં અલી શાહે ભારતીય રક્ષામંત્રી રાજનાથ સિંહના સિંધ સંબંધિત નિવેદન પર વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે જો ભારત સિંધ પર ટિપ્પણી કરી શકે છે, તો તેઓ પણ ભારતના રાજ્યો પર દાવો કરી શકે છે.

રાજનાથ સિંહે 23 નવેમ્બરે કહ્યું હતું કે આજે સિંધની જમીન ભારતનો ભાગ ભલે ન હોય, પરંતુ સભ્યતાની દ્રષ્ટિએ સિંધ હંમેશા ભારતનો ભાગ રહેશે. જ્યાં સુધી જમીનની વાત છે. ક્યારે સરહદ બદલાઈ જાય કોણ જાણે, કાલે સિંધ ફરીથી ભારતમાં પાછું આવી જાય.

પાકિસ્તાને સોમવારે રાજનાથના નિવેદન પર વાંધો ઉઠાવતા તેને ખોટું, ઉશ્કેરણીજનક અને ખતરનાક ગણાવ્યું હતું. પાકિસ્તાને કહ્યું કે આવા નિવેદનો આંતરરાષ્ટ્રીય કાયદા અને દેશોની નિર્ધારિત સીમાઓ વિરુદ્ધ છે. પાકિસ્તાને માંગ કરી કે ભારતના નેતાઓ આવા નિવેદનોથી બચે, કારણ કે તેનાથી ક્ષેત્રમાં તણાવ વધી શકે છે.

પાકિસ્તાને ભારતના આંતરિક મામલાઓ પર નિવેદનબાજી કરતા કહ્યું કે ભારતે લઘુમતીઓની સુરક્ષા કરવી જોઈએ. જમ્મુ-કાશ્મીરને લઈને પાકિસ્તાને ફરીથી કહ્યું કે આ મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો અને કાશ્મીરી લોકોની ઈચ્છા મુજબ ઉકેલવો જોઈએ.

પાકિસ્તાનનું કહેવું છે કે તે ભારત સાથેના તમામ મુદ્દાઓને શાંતિથી ઉકેલવા માંગે છે, પરંતુ સાથે જ પોતાના દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વની રક્ષા માટે હંમેશા તૈયાર છે.