Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પહેલગામ આતંકી હુમલાના 237 દિવસ પછી સોમવારે 1300 પાનાની ચાર્જશીટ દાખલ કરી. જમ્મુમાં NIA સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયેલી ચાર્જશીટમાં હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં ઘડવામાં આવ્યું હોવાના પુરાવા આપવામાં આવ્યા છે.


પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) અને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સહિત 7 આરોપી બનાવવામાં આવ્યા છે.

ચાર્જશીટ મુજબ, આ હુમલો ધર્મના આધારે હત્યાનો હતો, જેમાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક વ્યક્તિનું મોત થયું હતું. NIA એ પુરાવા રજૂ કરતા કહ્યું કે આ હુમલાનું કાવતરું પાકિસ્તાનથી ઘડવામાં આવ્યું છે. ચાર્જશીટની વિગતો હજુ સામે આવી નથી.

ચાર્જશીટમાં પાકિસ્તાની હેન્ડલર સજ્જાદ જટ્ટનું નામ પણ છે. 28 જુલાઈએ ઓપરેશન મહાદેવમાં માર્યા ગયેલા ત્રણ પાકિસ્તાની આતંકીઓ ફૈઝલ જટ્ટ ઉર્ફે સુલેમાન શાહ, હબીબ તાહિર ઉર્ફે જિબ્રાન અને હમઝા અફઘાનીને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

આ જ વર્ષે 22 એપ્રિલે પહેલગામથી 6 કિમી દૂર બાયસરન ઘાટીમાં થયેલા આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા. 16 લોકો ઘાયલ થયા હતા. લોકોને તેમની ધાર્મિક ઓળખના આધારે નિશાન બનાવવામાં આવ્યા હતા.