Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ગણપતિ ઉત્સવનો પાંચમો દિવસ છે. ત્યારે પાંચ દિવસ સુધી બાપાનું સ્થાપન કર્યું હોય તેવા લોકોએ ગણેશ વિસર્જન કર્યું હતું. જેમાં અમુક પરિવારે ઘરે જ ગરબા રમી ગણપતિ બાપાની મૂર્તિનું પાણીના ટબ કે કુંડામાં વિસર્જન કર્યું હતું. બીજી તરફ અમુક પરિવારે વાજતે ગાજતે ઢોલ નગારાના તાલે બાપાને વિદાય આપી હતી. તેમજ વિસર્જન સ્થળે ઢોલના તાલે લોકો ગરબે ઘૂમ્યા હતા. લોકોએ ઢોલી પર રૂપિયા ઉડાડ્યા હતા.

 

રાજકોટમાં ઠેર ઠેર અબીલ ગુલાલની છોળો અને ડીજેના તાલે લોકોએ બાપાને વિદાય આપી હતી. તેમજ ‘અગલે બરસ તું જલ્દી આના’ના ગીતો સાથે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેર નવા 150 રિંગ રોડ પર રહેતા રાજદેવ પરિવારે ઘરમાં જ માટીના ગણેશજીનું સ્થાપન કર્યું હતું. જેનું આજે રાસ-ગરબાના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. ઘર આંગણે જ કુંડમાં બાપાનું વિસર્જન કરી એક અનોખો મેસેજ લોકોને આપ્યો હતો.

 

 

Recommended