Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે મંગળવારે ભારત સામેની શ્રેણી માટે 16 સભ્યોની T-20 ટીમની જાહેરાત કરી છે. T-20ની કમાન ચરિથ અસલંકાને સોંપવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલા T-20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનને કારણે પૂર્વ કેપ્ટન વાનિન્દુ હસરંગાએ કેપ્ટનશિપ છોડી દીધી હતી. 18 જુલાઈએ BCCIએ શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી.


ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં 3 T-20 મેચની શ્રેણી રમશે. પહેલી મેચ પલ્લેકલેમાં 27મી જુલાઈએ સાંજે 7:00 કલાકે રમાશે. ODI શ્રેણી 2 ઓગસ્ટથી કોલંબોમાં શરૂ થશે.

ભારતીય ટીમે છેલ્લે 2021માં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. ટીમે 3 ODI અને 3 T-20 મેચોની શ્રેણી રમી હતી. ભારતે ત્રણ મેચની વન-ડે શ્રેણી 2-1થી જીતી લીધી છે. T20 શ્રેણીમાં ભારતને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.