Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે (22 સપ્ટેમ્બર) દિલ્હીના જંતર-મંતર ખાતે જાહેર સભા યોજી હતી. તેમણે 2011માં અણ્ણા આંદોલન અને પહેલીવાર ચૂંટણી જીતવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. કહ્યું- અમે પ્રામાણિકતાના આધારે પ્રથમ વખત સત્તામાં આવ્યા હતા.


રાજીનામા પર કેજરીવાલે કહ્યું- મને સત્તા અને ખુરશીનો લોભી નથી. ભાજપે ભ્રષ્ટાચારી અને ચોર કહ્યો ત્યારે મને દુઃખ થયું. કલંક સાથે ખુરશી તો શું હું શ્વાસ પણ નથી લઈ શકતો, જીવી પણ નથી શકતો, આગામી દિલ્હીની ચૂંટણી મારી માટે અગ્નિપરીક્ષા છે, જો હું પ્રામાણિક હોઉં તો જ મત આપજો.

AAP કન્વીનરે સંઘ પ્રમુખ મોહન ભાગવતને 5 પ્રશ્નો પૂછ્યા. કહ્યું- જ્યારે લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને કલરાજ મિશ્રા જેવા નેતાઓ 75 વર્ષમાં નિવૃત્ત થઈ ગયા, તો પછી મોદી પર આ નિયમો કેમ લાગુ નથી થતા. અમિત શાહ કહી રહ્યા છે કે, આ મોદી પર લાગુ નહીં પડે. ભાગવતજી કૃપા કરીને જવાબ આપો.

દિલ્હી લિકર પોલિસી કેસમાં 13 સપ્ટેમ્બરે જામીન પર બહાર આવ્યા બાદ કેજરીવાલે 17 સપ્ટેમ્બરે CM પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 21 સપ્ટેમ્બરે આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા.

Recommended